1 | આ પરીક્ષામાં આપે ઓનલાઇન ભરેલ અરજી પત્રકની વિગત અને તે હેઠળનાં કબુલાતનામાના ખરાપણાને આધીન રહીને પરીક્ષા આપવાની હોલ ટિકીટ આપવામાં આવે છે. જેમાં ભવિષ્યમાં ક્ષતિ જણાયે બોર્ડ દ્વારા આપને કોઇપણ તબક્કે ગેરલાયક ઠરવવામાં આવશે. |
2 | એક કરતાં વધુ અરજી કરેલ હોય તો તે સંજોગોમાં એક કરતાં વધુ કોલલેટર મળ્યા હોય તો કોઇ એક જ બેઠક ઉપર હાજર રહી પરીક્ષા આપવાની રહેશે. |
3 | આ પરીક્ષા માટે OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ કોલલેટર અચુક સાથે લાવવાનો રહેશે. અન્યથા પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. |
4 | આ પરીક્ષાના બે વિભાગનો સંયુક્ત સમય સળંગ બે કલાક રહેશે. |
5 | પરીક્ષામાં હાજરી આપતી વખતે ઓળખ માટે ઇલેકશન કાર્ડ, લાયસન્સ ,પાનકાર્ડ વગેરે ફોટાવાળું ઓળખપત્ર પૈકી કોઇએક ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે. બ્લોક સુપરવાઇઝર માંગે ત્યારે બતાવવાનું રહેશે. |
6 | આ પરીક્ષાના પ્રશ્નપત્રનું OMR (ઓપ્ટીકલ માર્ક રીડીંગ) પદ્ધતિનું રહેશે. ઉમેદવારે તેમાં બેઠક ક્રમાંક OMR પદ્ધતિમાં બબલથી અને આંકડામાં લખવાના રહેશે. OMR અને પ્રશ્નપત્ર ઉપર આપેલી સુચનાઓ ધ્યાનથી વાંચી તેનો અમલ કરવાનો રહેશે. |
7 | OMR sheet બહુવિકલ્પવાળા પ્રશ્નનાં જવાબમાં કોઇ એક સાચો વિકલ્પ પસંદ કરી તેનો ગોળ કુંડાળાને બ્લેક અથવા બ્લ્યુ બોલ પોઇન્ટ પેનથી ઘુંટીને ઘાટું(•) કરવાનું રહેશે. |
8 | નિર્ધારિત સમય કરતા ૩૦ મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી પોતાની બેઠકનંબર પર જે-તે બ્લોકમાં બેસવું. |
9 | આ પરીક્ષામાં કોઇપણ પ્રશ્નનો જવાબ ખોટો પડે તો તેના માર્ક કપાશે નહીં (માઇનસ પદ્ધતિ નથી) |
10 | પરીક્ષા કેન્દ્ર/પરીક્ષાખંડ કોઇપણ પ્રકારનાં બિનઅધિકૃત પુસ્તકો, કાગળ સાહિત્ય, પેજર,મોબાઇલ કે કેલ્ક્યુલેટર વગેરે જેવા કોઇ પણ વિજાણું સાધનો લાવી શકાશે નહીં. જો પરીક્ષા ખંડમાં આ પ્રતિબંધિત વસ્તુ સાથે લાવેલ હશો તો ગેરેરિતીનો કેસ ગણવામાં આવશે. |
11 | પરીક્ષા શરૂ થયા પછીથી પ્રવેશ મળી શકશે નહીં. આ હેતુલક્ષી પરીક્ષા હોવાથી પ્રશ્નપત્ર લખવાનો સમય પુરો ન થાય ત્યાં સુધી પરીક્ષાખંડ છોડી શકાશે નહીં. |
12 | જો ઉમેદવાર અંધ હોય તો જે તે કેન્દ્રનાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને લહિયા (writer) સાથે પરીક્ષા અંગે બે દિવસ પહેલા લેખિતમાં અરજી કરીને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની મંજૂરી મેળવવાની રહેશે. આવા ઉમેદવારે અરજી સાથે સિવિલ સર્જનનું પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ અચુક રજુ કરીને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પાસેથી પરીક્ષા શરૂ થતાં પહેલા મંજૂરી મેળવવાની રહેશે. |
13 | ચેતવણી: બોર્ડ દ્વારા થઇ રહેલી આ પરીક્ષાની પ્રક્રિયામાં આપ કે આપના વતી અન્ય ત્રાહિત વ્યક્તિ દ્વારા બોર્ડ ઉપર અથવા બોર્ડના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપર કોઇપણ જાતની ભલામણ, લાગવગ કે દબાણ લાવવાનો પ્રયાસ કરાશે તો તેવા ઉમેદવારને બોર્ડ દ્વારા ગેરલાયક ઠરાવી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. |
14 | વિશેષ સુચના: ઉમેદવારોને લાંચ રૂશ્વત/ લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી દૂર રહેવા સાવધાન કરવામાં આવે છે. આવી કોઇ અસામાજિક પ્રવૃતિ/ છેતરપિંડી આપના ધ્યાનમાં આવે તો તુરત જ બોર્ડને અથવા નજીકના પોલિસ સ્ટેશનમા તે બાબતે માહિતી આપવા વિનંતી છે. |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો